ND, કન્સલ્ટન્ટ નેચરોપેથ (TATC-PUNE)
સોમવાર થી શુક્રવાર સવારે ૬:૦૦ થી ૧૨:૦૦ સાંજે ૩:૦૦ થી ૮:૦૦ | શનિવાર સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦
કુદરતી ઉપચાર કેન્દ્રમાં આશરે રોજ 25-30 લાભાર્થી સારવારનો લાભ લે છે. આ પ્રવૃતિ છેલ્લા 5 વર્ષથી પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમમાં સફળતા પૂર્વક ચાલી રહે છે.
પ્રાર્થનાસંઘ દ્વારા ચલાવવામાં આવતી એક આરોગ્ય લક્ષી પ્રવૃતિ છે જે ખાસ કરીને દરેક વર્ગના લોકેને આવરી - સમાવેશ કરવા માટે ચલાવવામાં આવે છે. જે સુરતનું એક માત્ર OPD કુદરતી ઉપચાર કેન્દ્ર છે.
આ એક OPD કુદરતી ઉપચાર કેન્દ્ર છે જેમાં દરેક લાભાર્થી ને રોજ 45 મિનિટ થી એક કલાક સારવાર આપવવામાં આવે છે. જેમાં માલિશ, જલચિકિત્સા, સ્ટીમબાથ, ગરમ-ઠંડા શેક, આહાર, ચિકિત્સા લપેટ એક્યુપ્રેશરમાટેની સારવાર, રૈકી, પ્રાણિક હિલિંગ જેવી સારવાર આપવવામાં આવે છે.
હાલ સંસ્થામાં કુલ બે સારવાર વિભાગમાં સારવાર આપવામાં આવે છે. જે ભવિષ્યમાં કુલ 8-10 રૂમની સગવડ થાય તેવી યોજના ચાલી રહી છે.




